રાત્રિની શોધમાં | પ્રકરણ- ૮ | સંત અને કર્મ
૨૮ ફેબ્રુઆરી ૨૦૦૩, શુક્રવાર એક દર્શનાર્થી તરીકે કુતુહલનો ભાવ ચોક્જકસ જન્માવે તેમ તારણહારને નમન મુદ્રામાં શીષ જુકાવતા પવનને હાલ પાંચ મિનિટથી વધુ સમય થઈ ગયો હતો, જોકે તેનું આ નમન આવતા જતા અન્ય દર્શનાર્થીઓ માટે ધ્યાન્ગમ્ય તો નોહતું. જ્યાં આપની મૂંઝવણની માઝા મુકાઈ હોય ત્યાં અન્ય કોઈના સાક્ષાત્કારની કોઈને શું પડી હોય, પણ શ્રીનાથજી મંદિરના ગર્ભગૃહમાં હાથ જોડીને ઉભેલ પવનને કોઈ તો હતું જે ક્યારનુયે એકીટસે જોઈ રહ્યું હતું. રાત્રિની શોધમાં | પ્રકરણ- ૮ | સંત અને કર્મ શુક્રવાર હતો આજે, અને માટે જ દર્શનાર્થીઓનું આવાગમન પણ નીયંત્રણમાં હતું. મંદિરની બહાર તાજો ઊગેલ સુર્ય ખુબ નિર્મળતાપૂર્વક ભમરીની પીળી પાંખો જેવો પ્રકાશ પથારી રહ્યો હતો. માર્મીક્તાથી બેઠો થતો દિવસ મંદિરની ચોફેર આચ્છાદિત હરિયાળીની સાથે રીતસરની જાણે વાતો કરતો હોય એમ પળે પળે આળસ મરોડી રહ્યો હતો. મંદિરનાં પ્રાંગણમાં ક્યાંક મોગરો, ક્યાંક ગુલાબ, ક્યાંક ચંપો, તો વળી ક્યાંક પારિજાતનાં પુષ્પો ભીના પવનના સુસવાટાઓ પર સવારી કરી ખુદની સુગંધને પ્રસ્થાપિત કરવાની હરીફાઈમાં લાગેલ હતા. સાથે, પાન-પત્તાઓ પરના ઝાકાળબિંદુઓ દિવસના આ નૈસર્ગિક આગમનને...